Blog
પ્રધાનમંત્રીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ બીઆર ગવઈજી પરના હુમલાની નિંદા કરી

તાપીકિંગ: 24×7 વેબ પોર્ટલ,
ન્યુ દિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ બીઆર ગવઈ પર થયેલા હુમલાની સખત નિંદા કરી.
શ્રી મોદીએ આ ઘટના બાદ જસ્ટિસ ગવઈ સાથે વાત કરી અને પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે તેમના દ્વારા દર્શાવવામાં આવેલા સંયમની પ્રશંસા કરી. ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ બીઆર ગવઈજી સાથે વાત કરી. આજે વહેલી સવારે સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમના પર થયેલા હુમલાથી દરેક ભારતીય ગુસ્સે થયો છે. આપણા સમાજમાં આવા નિંદનીય કૃત્યો માટે કોઈ સ્થાન નથી. તે સંપૂર્ણપણે નિંદનીય છે. આવી પરિસ્થિતિનો સામનો કરતી વખતે ન્યાયાધીશ ગવઈ દ્વારા દર્શાવવામાં આવેલા શાંત વલણની મેં પ્રશંસા કરી. તે ન્યાયના મૂલ્યો અને આપણા બંધારણની ભાવનાને મજબૂત બનાવવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.”


